ગુરુવાર, 17 એપ્રિલ, 2014

કોણ અનૈતિક છે?


બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા (BAPS Swaminarayan Sanstha)ની વેબસાઇટ પર અક્ષરવત્સલદાસ નામનો સાધુ લખે છે, "નિમ્ન વર્ણોને દ્વિજત્વ આપવામાં, તેમનું સંસ્કૃતીકરણ કરવામાં ભગવાન સ્વામિનારાયણે ત્રીજું મહત્ત્વનું પગલું ભર્યું - એ વર્ણો પરથી અનૈતિકતાની છાપ ભૂંસવાનું. એ સમયે દલિત વર્ણો માટે સામાન્ય જનસમાજમાં સૂગ હતી, એમાં તેમની અનૈતિક વૃત્તિઓ પણ જવાબદાર હતી. સવર્ણોના તિરસ્કારને લીધે આજીવિકાનો ખૂબ મોટો પ્રાણપ્રશ્ન આ વર્ગ માટે હતો. જીવનના ગુજારા માટે કોઈ જ માર્ગ ન બચતાં આ વર્ગે અનૈતિક પ્રવૃત્તિઓનો પણ આશ્રય લેવો પડે એવા સંજોગો હતા. અને પરિણામે, એમના પર અનૈતિકતાનું આળ કાયમી બન્યું હતું."

આવા બાવાઓ એમની નબળાઈ છુપાવવા દલિતોના માથે અનૈતિકતાનું આળ નાંખે છે. આપણે શું આવા લોકને સાંખી લેવાના?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો