સોમવાર, 26 માર્ચ, 2012

એક હતા વલી ગુજરાતી

એક હતા વલી ગુજરાતી (1667-1707).
 ઉર્દૂમાં ગઝલો લખનાર પહેલા કવિ. ગુજરાત માટે
 એમને હતો બેહદ પ્યાર, એટલે કહેવાયા વલી
 ગુજરાતી.  જન્મ્યા ઔરંગાબાદમાં અને મૃત્યુ
પામ્યા અમદાવાદમાં, જ્યાં તેમની મજાર બની.
 2002માં મજાર તોડી નાંખવામાં આવી અને
 તેની બાજુમાં એક મંદિર બનાવવામાં આવ્યું

ભગવાનનું મંદિર હંમેશાં સ્વચ્છ જગ્યાએ
  હોય, પરંતુ પાગલ, કટ્ટરપંથીઓએ વલીની

 મજાર તોડ્યા પછી ઉકરડો ઠાલવવાના
એક ગંદા સ્થળે  હનુમાનનું મંદિર બનાવ્યું

આજે એ સ્થળ એક દલિત દંપતિના જીવન
નિર્વાહનો સ્રોત બન્યું છે. તેઓ આખો દિવસ
 ઉકરડાના ઢગલા વચ્ચે બેસે છે. દૂધની,
 પ્લાસ્ટિકની થેલીઓ વગેરે અલગ પાડીને
 થેલાઓમાં ભરે છે વેચવા માટે.

અમને જોઇને તેમના થાકેલા ચહેરાઓ પર
 સ્મિત ફરકી ગયું. તેમને ખ્યાલ આવી ગયો,
 કોઇક તો છે જે તેમના માટે લખવા આતુર છે
તેઓ છે જીવીબેન લેઉઆ અને તેમના પતિ.
તેઓ શાહીબાગમાં ઘોડા કેમ્પ ખાતે રહે છે.

તેમને જોયા તે જ ક્ષણે મને ખબર હતી

 કે તેઓ મારા લોકો છે. પરંતુ મેં પૂછ્યું,
"તમારી જાતિ શું છે", જીવીબહેને કહ્યું,
"ચમાર."
"શું તમારે કોઈ બાળકો નથી?", મેં

 પૂછ્યું, વૃદ્ધ માણસે જવાબ આપ્યો, 
"બે દીકરા હતા, મોટો દશામાના
 વિસર્જન સમયે નદીમાં તણાઈ ગયો.
  નાનો ખાડા 
ખોદવા જાય છે."

 
"અમારા માટે કશુંક લખજો"
"બીપીએલ કાર્ડ છે, પણ કશા
કામનું નથી
"

સંકટમોચન હનુમાનના માલિક-પૂજારીઓ
અભિષેક શાસ્ત્રી અને જોષી રમણલાલ
મંદિરે દિવસ દરમિયાન તાળુ
લટકતું હોય છે. પૂજારી શેરબજારમાં
ગયો હોય કે સિફિલિસની સારવાર
માટે ગયો હોય, કોને ખબર
!

એક તથ્ય દલિતો, આદિવાસીઓ, પછાત
જાતિઓને મુસ્લિમો સામે બ્રાહ્મણો
ઉશ્કેરે છે, તેમની મસ્જિદો, મજારો
તોડાવડાવે છે અને પછી ધર્મના
નામે ધંધો શરૂ કરે છે.
 

મંદિરની પાસે પાણીની ટાંકી, તેના
દાતા છે સ્વ. પ્રેમવતીબેન દામોદરદાસ
અગ્રવાલ. જાતે મારવાડી બનીયા, જેઓ
અમદાવાદના મુખ્ય કોમોડિટિઝ
બજારો કન્ટ્રોલ કરી રહ્યા છે, એવા
કરોડપતિ લોકો પૈકીના એક. 


(ફોટોગ્રાફસ - જયેશ સોલંકી)








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો