એક હતા વલી ગુજરાતી (1667-1707). ઉર્દૂમાં ગઝલો લખનાર પહેલા કવિ. ગુજરાત માટે એમને હતો બેહદ પ્યાર, એટલે કહેવાયા વલી ગુજરાતી. જન્મ્યા ઔરંગાબાદમાં અને મૃત્યુ પામ્યા અમદાવાદમાં, જ્યાં તેમની મજાર બની. |
2002માં મજાર તોડી નાંખવામાં આવી અને તેની બાજુમાં એક મંદિર બનાવવામાં આવ્યું |
ભગવાનનું મંદિર હંમેશાં સ્વચ્છ જગ્યાએ હોય, પરંતુ પાગલ, કટ્ટરપંથીઓએ વલીની મજાર તોડ્યા પછી ઉકરડો ઠાલવવાના એક ગંદા સ્થળે હનુમાનનું મંદિર બનાવ્યું |
આજે એ સ્થળ એક દલિત દંપતિના જીવન નિર્વાહનો સ્રોત બન્યું છે. તેઓ આખો દિવસ ઉકરડાના ઢગલા વચ્ચે બેસે છે. દૂધની, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે અલગ પાડીને થેલાઓમાં ભરે છે વેચવા માટે. |
અમને જોઇને તેમના થાકેલા ચહેરાઓ પર સ્મિત ફરકી ગયું. તેમને ખ્યાલ આવી ગયો, કોઇક તો છે જે તેમના માટે લખવા આતુર છે |
તેઓ છે જીવીબેન લેઉઆ અને તેમના પતિ. તેઓ શાહીબાગમાં ઘોડા કેમ્પ ખાતે રહે છે. |
તેમને જોયા તે જ ક્ષણે મને ખબર હતી
કે તેઓ મારા લોકો છે. પરંતુ મેં પૂછ્યું,
"તમારી જાતિ શું છે? ", જીવીબહેને કહ્યું,
"ચમાર." |
"શું તમારે કોઈ બાળકો નથી?", મેં
પૂછ્યું, વૃદ્ધ માણસે જવાબ આપ્યો,
"બે દીકરા હતા, મોટો દશામાના વિસર્જન સમયે નદીમાં તણાઈ ગયો. નાનો ખાડા
ખોદવા જાય છે."
|
"અમારા માટે કશુંક લખજો" |
"બીપીએલ કાર્ડ છે, પણ કશા કામનું નથી" |
સંકટમોચન હનુમાનના માલિક-પૂજારીઓ અભિષેક શાસ્ત્રી અને જોષી રમણલાલ |
મંદિરે દિવસ દરમિયાન તાળુ લટકતું હોય છે. પૂજારી શેરબજારમાં ગયો હોય કે સિફિલિસની સારવાર માટે ગયો હોય, કોને ખબર! |
એક તથ્ય: દલિતો, આદિવાસીઓ, પછાત જાતિઓને મુસ્લિમો સામે બ્રાહ્મણો ઉશ્કેરે છે, તેમની મસ્જિદો, મજારો તોડાવડાવે છે અને પછી ધર્મના નામે ધંધો શરૂ કરે છે. |
મંદિરની પાસે પાણીની ટાંકી, તેના દાતા છે સ્વ. પ્રેમવતીબેન દામોદરદાસ અગ્રવાલ. જાતે મારવાડી બનીયા, જેઓ અમદાવાદના મુખ્ય કોમોડિટિઝ બજારો કન્ટ્રોલ કરી રહ્યા છે, એવા કરોડપતિ લોકો પૈકીના એક. |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો